વાણિજય કોલેજમાં બેઠકો વધારવા માટે એનએસયુઆઈ દ્વારા આવેદન

1228

આજ રોજ સરકારી વાણિજ્ય કૉલેજ સેક્ટર ૧૫ ગાંધીનગર ખાતે B.Com. ની બેઠકો ની માંગણી કરવામાં આવી ઓનલાઇન પ્રકિયા પુર્ણ થયાં બાદ ઓફલાઇનમા ફક્ત ૬૭ જેટલી બેઠકો બાકી રહી હતી તેણી સામે ૨૭૪ વિદ્યાર્થીઓનાં ફોર્મ આવેલ સે ઓફલાઇન પ્રક્રિયા મા ફક્ત ૬૭ જ બેઠકો બાકી હોવાથી ૨૦૭ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય અધ્ધરતાલ થઇ રહ્યુ હોવાથી NSUI દ્રારા બેઠક વધારવા માટે નું આવેદન પત્ર આપવામા આવ્યુ.

આ કાર્યક્રમમા ગાંધીનગર જીલ્લા NSUI નાં વિદ્યાર્થી નેતા નયન શ્રીમાળી, અજયસિહ, મિત્તેષસિંહ, વિજયસિંહ, કુલદીપ સિંહ, ધવલસિંહ, રાજપાલસિંહ, રાહુલસિંહ સહીત ૨૦૦ થી વધું વિદ્યાર્થી હાજર રહ્યાં હતાં.

Previous articleસની લિયોનીની બાયોપિક ‘કરનજીત કૌર…’ ઈન્ટરનેટ પર થઈ લીક 
Next articleખેડૂતો વાવણીમાં વ્યસ્તઃ વરસાદના અભાવે ગત વર્ષ કરતા વાવેતર ઓછુ