ગાંધીનગર બેઠક સત્તાનું કેન્દ્ર રહેશે

786

ગુજરાત રાજ્યની રાજધાની એવું ગાંધીનગર શહેર રાજ્ય અને દેશના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. ગાંધીનગરની લોકસભા બેઠક ગુજરાતના રાજકારણમાં ભાજપ શાસિત બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપનો ૧૯૮૯થી દબદબો છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય અને સૌથી વરિષ્ઠ નેતા એવા લાલકૃષ્ણ આડવાણી આ બેઠક પર છેલ્લી ૪ ટર્મથી ચૂંટાઈ રહ્યા છે.

આ અગાઉ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે ૨૦૧૯માં ગુજરાતની ૨૬ બેઠકો પૈકીની ગાંધીનગર લોકસભા બેઠક પર કોણ મારશે બાજી? આવો જોઈએ આ વિશેષ અહેવાલ માં ગાંધીનગર લોકસભા બેઠકમાં ચૂંટણી પંચની માહિતી અનુસાર કુલ ૧૫,૫૫,૭૦૯ મતદાર છે, જેમાંથી ૭,૯૯,૬૬૪ પુરુષ અને ૭,૫૬,૦૪૫ મહિલા મતદાર છે.

ચૂંટણી પંચની યાદીમાં ગાંધીનીગરની લોકસભા બેઠકનો ક્રમ ગુજરાતની કુલ ૨૬ બેઠકમાં છટ્ઠો છે. આ લોકસભા બેઠક પર સૌથી વધુ પ્રવાસન સ્થળ આવેલા છે, જેમાં અક્ષરધામ, સરખેજના રોજા, મહાત્મા મંદિર, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગીફ્‌ટ સિટી) સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં દર બે વર્ષે યોજાતી ‘ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ’ને કારણે હવે ગાંધીનગર શહેર આંતરરાષ્ટ્રીય નકશા પર પણ ચમકી ચૂક્યું છે. અહીંનું અર્થતંત્ર જીઆઈડીસીમાં સ્થપાયેલા ભારે ઉદ્યોગોથી ધમધમે છે.

જોકે ૧૯૬૭ થી ૧૯૮૪ સુધી આ બેઠક કોંગ્રેસ હસ્તગત રહી છે. રાજકીય દ્રષ્ટિએ આ બેઠકનું મહત્વ એ રીતે ગણી શકાય કે, અહીં ભાજપમાંથી હમેશાં દિગ્ગજોએ જ ચૂટંણી લડી છે. તાજેતરમાં જ ભાજપ અને કોંગ્રેસ બંને સામે બાંયો ચઢાવીને દ્ગઝ્રઁમાં ભળેલા નેતા એવા શંકરસિંહ વાધેલા પણ વર્ષ ૧૯૮૯માં ભાજપ તરફથી આ બેઠક પર ચૂંટણી લડ્‌યા હતા અને વિજયી બન્યા હતા. ૧૯૯૬માં સ્વર્ગીય અટલ બિહારી બાજપેયી પણ આ બેઠક જીત મેળવી ચૂકયા છે.

૨૦૦૯માં સીમાંકન બાદ ગાંઘીનગર લોકસભા બેઠક ભોગૌલીક દૃષ્ટિએ સૌથી મોટી લોકસભા બની છે. આ લોકસભા બેઠકમાં રાજ્ય વિધાનસભાની ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતીનો સમાવેશ થાય છે.સાંસદોને તેમના મતવિસ્તારમાં વિવિધ વિકાસકાર્યો માટે મળતી ગ્રાન્ટનો લાલકૃષ્ણ આડવાણીએ મહત્તમ ઉપયોગ કર્યો છે. તેમણે છેલ્લા ૫ વર્ષમાં રૂ.૨૫ કરોડ જેવી માતબર રકમ ફાળવી છે. તેમણે ફાળવેલી ગ્રાન્ટનો ઉપયોગ તેમના લોકસભા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, બગીચા અને તેને લગતા વિકાસ કાર્યો, મેડિકલ સર્વિસીસ, શિક્ષણ, પીવાના પાણી, સ્વચ્છ ભારત યોજના, સ્ટ્રીટ લાઇટ, સ્પોર્ટસ અને લાયબ્રેરી, શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના રોડ અને અન્ય કામોમાં કરવામાં આવ્યો છે.

જોકે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના હોય કે સ્ટાર્ટઅપ ઇન્ડીયા કે પછી અન્ય યોજનાઓનો લાભ આ લોકસભાના વિસ્તારને ઓછો મળ્યો છે. જેના મુખ્ય બે કારણ છે. પ્રથમ એલ. કે. આડવાણીની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ગુજરાતનો સતત પ્રવાસ કરી શકતા નથી. બીજું તેમના કાર્યાલય તરફથી સામાન્ય જનતાને જોઇએ એવો પ્રતિસાદ મળતો નથી. ત્યારે આ વખતે ગાંધીનગરની બેઠક પર કોણ મારશે તે જોવું રહ્યું

Previous articleસતત સાતમાં દિવસે તેજી નોંધાઈ : વધુ મોટો સુધારો
Next articleક્રોસવર્ડના ટોઈલેટમાં સગીરાનો અશ્લીલ વીડિયો બનાવવાનો પ્રયાસ