પાલીતાણા શેત્રુંજી ડેમ પર ફરજ પર રહેલાં પોલીસ કર્મચારીઓ માછીમારી કરવાનીના પાડતાં તેના પર પથ્થરમારો કરી ઈજા પહોચાડી પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતા જેમને ગણતરીની કલાકોમાં રૂરલ પી.એસ.આઈ તથા સ્ટાફે ઝડપી લઈ જાહેરમાં સરઘસ કાઢી સરભરા કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે પોલીસ કર્મચારી દિલીપભાઈ નરભેરામભાઈ ધાંધલીયા ફરજ પર હતા ત્યારે પાંચ શખ્સો માછીમારીની જાળ લઈ આવતા જોઈ તેને ટપારી કાઢી મુકી માછીમારી કરવાનીના પાડતા ઉશ્કેરાઈ ગયેલા પાંચેય શખ્સોએ પથ્થરમારો કરી પોલીસ કર્મચારી દીલીપભાઈને માથાના ભાગે ઈજા કરી નાસી છુટ્યા હતા બનાવની જાણ થતા રૂરલ પોલીસ મથકના પી.એસ.આઈ. બાર તથા સ્ટાફના પ્રતીકભાઈ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી જી ગણતરીની કલાકોમાં દિલીપભાઈ પર હુમલો કરનાર કિશન ભીમા, રાહુલ ભીમા, કરશન ભૂપત, રે. શેત્રુંજી ડેમ વિજય ભીખા, રે. ભીલવાસ પાલીતાણા તથા બે સગીરને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કલમ ૧૪૩, ૩૩૨, ૩૫૩, ૩૩૭, ૧૧૪ મુજબના ગુના કામે અટક કરી અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી સરભરા કરી હતી.