નંદકુંવરબા મહિલા કોલેજમાં ડો.રાઠોડનું વ્યાખ્યાન યોજાયું

1229

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે એમ.એસ. ડબલ્યુની વીદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ડો.મ નહરભાઈ ઠાકરનું સમાજમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ વિષય ઉપર વ્યાખ્ય્ન યોજવામાં આવ્યું હતું. જેમા, તેમને હાલના સમયમાં વિદ્યાર્થી જીવનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ કેટલું છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ હોય તો કઈ રીતે કામમાં આવશે ?

મનુષ્યના જીવનમાં એજયુકેશન વગર એક ક્ષણમાં કેવા કેવા બનાવો બનતા હોય છે, અને જો તમે ધ્યાન ન રાખો તો આજના સમયમાં જીવનમાં ઉચ્ચ શિક્ષણ ન હોય તો ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ? તેના અનેક ઉદાહરણો આપીને ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

આ ઉપરાંત આજના વિદ્યાર્થીઓએ તેમના ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરી નાની નાની બાબતોનો ખ્યાલ રાખી જીવનમાં તેનો સમયસર અમલ કરવામાં આવે તો જીવનના દરેક ક્ષેત્રમાં તેમને સફળતા મળે જ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઉચ્ચ ભણતરએ મનુષ્યના જીવનનું એક અંગ છે, અને તે સમાજમાં કેવો ભાગ ભજવે છે ? અને વિદ્યાર્થી તેના જીવનમાં સમયસર એજયુકેશન ન મેળવી શકે તો ભવિષ્યમાં સમાજમાં તેનુ સ્થાન કયાં હોય છે ? તેની વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleવડલી ગામે દલીત સમાજ દ્વારા સ્મશાન માટે જમીન આપવાની માંગ સાથે આવેદન
Next articleગૌરક્ષક રાજુભાઈ રબારીના હત્યારાઓને ઝડપી લેવા કામધેનુ ગૌ સેવાની માંગણી