ગ્રીનસીટી દ્વારા વિદ્યાનગર પાસે વૃક્ષારોપણ

931

આજરોજ વિદ્યાનગર પાસે આવેલ સરકારી ઈજનેર કોલેજની બહારની બાજુએ દિપાલીબેન શ્રોફ, રાજેન્દ્રભાઈ તથા પારસભાઈના સૌજન્યથી ૧૮ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રીનસીટીની ખૂબ જ એક્ટીવ સભ્ય એવી હસ્તી મોદીના મુંબઈ તથા ફોરેન રહેતા સંબંધીઓના સૌજન્યથી આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, અચ્યુતભાઈ મહેતા, પરેશભાઈ શાહ, કમલેશભાઈ શેઠ, ઝેક ઝાલા, અર્જુનભાઈ તથા મેઘાબેન હાજર રહ્યાં હતા. હસ્તી મોદી અનિવાર્ય સંજોગોના કારણે હાજર રહી શકેલ નહીં પરંતુ હસ્તીએ અમદાવાદથી આ વૃક્ષારોપણ માટે ખાસ શુભેચ્છા પાઠવી હતી.

Previous articleસંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સ્પર્ધા
Next articleગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વકતૃત્વ સ્પર્ધા યોજાઈ