જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું

1094

ભાવનગર નાગરિક સહકારી બેંકના ડિરેકટરોની ચૂંટણી આગામી તા. ર૩ના રોજ યોજાનાર છે. ત્યારે વર્તમાન ચેરમેન જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલના ચૂંટણી કાર્યાલયનું આજે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી હલુરીયા ચોક ખાતે જીતુ ઉપાધ્યાયની વિકાસ પેનલના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રતાપભાઈ શાહ, રમણીકભાઈ પંડયા, અરૂણભાઈ મહેતા, મહીપતસિંહ ગોહિલ, રીનાબેન શાહ, દિલીપસિંહ ગોહિલ, નિરૂભાઈ દવે તેમજ આમંત્રીતો, સભાસદો, શુભેચ્છકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું  હતું.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસ્ંગિક પ્રવચનો કરીને વીકાસ પેનલના ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleરીંગરોડમાં બાધારૂપ ૧૦ મકાનોના દબાણ દુર કરતું તંત્ર
Next articleઆખલોલ પુલ નજીકથી અજાણ્યા પુરૂષની લાશ મળી