શહેરના બોરતળાવમાં સફાઈ અભિયાન

1076

ભાવનગર શહેરની વી.પી. કાપડીયા મહિલા આર્ટસ કોલેજ ભાવનગર તથા એનસીસી ટીમના સંયુકત ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા બોરતળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કોલેજની બહેનો દ્વારા બોરતળાવના પાણીમાંથી ૩પ જેટલી ગણપતિ દાદાની મુર્તિઓ, શ્રીફળ, ચુંદડીઓ, ફુલહાર, પ્લાસ્ટીક સહિતનો જથ્થો પાણીમાંથી બહાર કાઢી સફાઈ કરી હતી. લોકો સ્વચ્છતાની જાળવણી પ્રત્યે જાગૃત બની કુદરતના મળેલ અમુલ્ય સંશાધાનોનો દુરઉપયોગ કરવાના બદલે તેના રક્ષણ માટે પ્રયત્નશીલ બને તેવા આશય સાથે બોરતળાવનો સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. 

Previous articleલીવરપુરના ર૦માં સ્ટોરનો અમદાવાદમાં શુભારંભ
Next articleકોંગ્રેસની નકારાત્મક છબી ફરી ખુલ્લી પડી ગઈ : જીતુ વાઘાણી