ઘોઘા ગામે ગણેશોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

1329

ઘોઘા ગામે દર વર્ષ માફક આ વર્ષે પણ યોજવામાં આવેલ ગણપતિ ઉત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા. ઘોઘા ગામે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા વર્ષ પરંપરાગત ગણેશોત્સવનુ આયોજન ઘોઘા ખાતે કરવામાં આવ્યુ હતું. આ મહોત્સવમાં સમસ્ત કોળી જ્ઞાતિના અગ્રણીઓ તથા અન્ય શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૨૫ થી વધુ ગ્રૃપ દ્વારા અલગ અલગ કલાઓ રજુ કરી હતી જેમને આયોજકો દ્વારા શીલ્ડ તથા રોકડ રાશી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તળપદા કોળી સમાજના યુવાનો તથા હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleઝાંઝમેરનો શખ્સ સગીરાને ભગાડી ગયો
Next articleક્રોધને કાબુમાં રાખો, આરોગ્યના મધુરા ફળો ચાખો !