નિવૃત્ત થતા રેલ્વેના લોકો પાયલોટનો વિદાય સમારોહ

799

ભાવનગર રેલ્વે ડિવીઝનમાં ૩૯ વર્ષથી લોકો ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા બે પાયલોટનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો.

૩૯ કરતા વધુ વર્ષોથી લોકો પાયલોટ તરફીકે રેલ્વેમાં ફરજ બજાવતા  પોપટભાઈ મકવાણા તથા નટવરસિંહ ગોહિલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં એ.એમ.ઈ. મિશ્રા, અશોકગીરી, સમીર ત્રિવેદી, ગોહિલભાઈ, હનિફભાઈ તથા અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને બન્ને ડ્રાઈવરોની નોકરી દરમ્યાન થયેલી કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. બન્ને પાયલોટે પોતાની કારકિર્દી દરમ્યાન નેરોગેજ, મીટરગેજ તથા બ્રોડગેજ એમ ત્રણેય ફોર્મેટમાં કામ કર્યુ હતું.

Previous articleશાળાના ભુલકાઓએ ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆત કરી
Next articleઢાંકણીયા ગામે નર્મદાના નીર આવતા ખેડૂતો ખુશ