ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામનું જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષોથી ગુજરાતના લોકનૃત્યો અને લોક સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય અવીરત પણે કરી રહ્યું છે તે કાર્યોમાં ઉમેરો કરતાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતતિઓના ઉપક્રમે યોજાયેલ રાજય કક્ષા કલામહાકુંભ ર૦૧૮ હેમુ ગઢવી નાટયગૃહ રાજકોટ ખાતે યોજાયેલ જેમાં જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોએ પ્રાચીન ગરબા સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજયમાં તૃતિયસ્થાન પ્રાપ્ત કરેલ છે. અને ભાવનગરનું ગૌરવ વધારેલ છે.