એક તરફ દલખાણીયા રેન્જમાં એક સાથે ર૩ સિંહોના મોતની ઘટનાના પડઘા સમ્યા નથી અને ર૩ સિંહોના મોતની અઘટીત ઘટના ઉપરથી વન વિભાગે ધડો લીધો ન હોય તેમ રાજુલા સામાજીક વનીકરણ વિભાગની બેદરકારી કે ફરજમાં નિષ્કાળજી હોય તેમ સિંહોની સુરક્ષામાં છીંડા રહી ગયા હોય તેમ આદસંગ આસપાસના વિસ્તારમાં રહેતા સિંહો કે અન્ય વિસ્તારના સિંહો રાજુલાના ધુડીયા-આગરીયા ગામના રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચતા એક સાથે ૬ ગાયોનો શિકાર કરતા અફડાતફડીના માહોલ સાથે આ વિસ્તારના રહેવાસીઓમાં ભય ફેલાવા પામ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે, સરકાર અને વન વિભાગ સિંહોની સુરક્ષા માટે જાગૃત અને કટીબધ્ધ હોવાનો દાવો કરે છે ત્યારે સિંહો જો રેવન્યુ વિસ્તારમાં ધસી આવી શિકાર કરતા હોય તો તેનું એક જ કારણ હોઈ શકે કે સિંહ પ્રજાતિ ૪ દિવસ સુધી ભુખ્યા રહી શકે પરંતુ પાણી વગર ર૪ કલાક રહી શકતા ન હોય પાણીની તલાશમાં નિકળેલા સિંહો દ્વારા શિકાર કરાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે ત્યારે વન વિભાગ પણ સતર્કતા રાખે તેવું સ્થાનિકો અને સિંહ પ્રેમીઓ ઈચ્છી રહ્યાં છે.