વલભીપુર ખાતે નવરાત્રી નિમિત્તે બહુચરાજી તથા રાંદલ માતાજી મંદિરે નવચંડી હવન

1276

વલભીપુર સ્થિત ત્રવાડી બધેકા પાર્ટી ટ્રસ્ટ સંચાલિત ઐતિહાસિક બહુચરાજી માતાજી તથા રાંદલમાતાજીના મંદિરે પરંપરાગત નવચંડી હવનનું આયોજન કરવામાં આવેલ છે. બહુચરાજી માતાજીના મંદિરે બુધવાર તા. ૧૭-૧૦-ર૦૧૮ના રોજ આઠમનો હવન તથા રાંદલ માતાજીના મંદિરે ગુરૂવારે તા. ૧૮-૧૦-ર૦૧૮ન્ના રોજ નોમ ન હવનનું આયોજન કરાયેલ છે. બન્ને દિવસે શ્રફળ હોમ (પુર્ણાહુતી) વીધી સાંજના ૪-૩૦ કલાકે રાખેલ છે. તો દરેક ભકત પરિવારોને લાભ લેવા ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરાયો છે.

Previous articleનશીલા પદાર્થવાળો રૂમાલ સુંઘાડી ચોરી કરતા સગીર સહિત ત્રણને ઝડપી લીધા
Next articleનારી ગામે હેલ્થ સેન્ટર માટે કોંગ્રેસના ધરણાને સફળતા