આખરે ક્રિકેટર દાનિશ કનેરિયાએ કબૂલ કર્યો મેચ ફિક્સિંગનો ગુનો

990

વર્ષ ૨૦૧૨માં ઇંગ્લિશ કાઉંટી ક્રિકેટે હચમચાવી દેનાર મેચ ફિક્સિંગ મામલામાં ૬ વર્ષ બાદ મુખ્ય ષડયંત્ર રચનાર અને પાકિસ્તાનના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ આ મામલા પર પોતાનો ગૂનો કબૂલ કરી ક્રિકેટના ફેન્સથી માફી માંગી છે. કનેરિયા ડેલી મેલ મુજબ કનેરિયાએ અલ જજીરાની એક ડોક્યુમેન્ટ્રીમાં આ કબૂલ કર્યું છે.

આ વાક્યને સામે આવ્યા બાદ ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે કનેરિયા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. દેને બાકીના દેશોના ક્રિકેટ બોર્ડ પણ ફોલો કરે છે અને તે બાદ કનેરિયા ક્યારેય ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમી શક્યા નહીં.

વર્ષ ૨૦૦૯માં થયેલી આ ઘટનામાં કાઉન્ટી ક્લબ એસેક્સના ખેલાડી માર્વિન વેસટફીલ્ડના એક ભારતીય બુકી અનુભટ્ટથી ૬૦૦૦ બ્રિટિશ પાઉન્ડની લાન્ચ લઇને ડરહમ વિરુદ્ધ ૪૦ ઓવરના મુકાબલામાં તેની પહેલી ઓવરમાં ૧૨ રન આપવાનો સોદો કર્યો હતો. જોકે તેને કુલ ૧૦ રન આપ્યા. પરંતુ તેને આ રકમ આપી દેવામાં આવી હતી.

દાનિશ કનેરિયા પર આરોપ હતો કે તેને આ ફિક્સિંહમાં મિડિલમેનની ભૂમિકા નીભાવી હતી. જોકે, કનેરિયા વિરુદ્ધ તો કોઇ પુરાવા મળ્યા ન હતા. પરંતુ માર્વિનને આ ગૂનાના આરોપમાં ૨ મહીના જેલમાં વીતાવવા પડ્યા હતા.

કનેરિયાએ તેનો ગૂનો કબૂલતા સમયે માર્વિનથી પણ માફી માંગી છે. ૩૭ વર્ષના કનેરિયાના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૨૬૧ વિકેટ્‌સ નોંધાઇ છે.  દાનિશ કનેરિયાએ આ મામલા પર પોતાનો ગૂનો કબૂલ કરી ક્રિકેટના ફેન્સથી માફી માંગી છે.

Previous article૪૩ વર્ષ પછી વિશ્વ કપમાં પદક જીતી શકે છે ભારતઃ દિલીપ તિર્કી
Next articleત્રીજી મેચમાં શ્રીલંકાને ૨૦ રનથી હરાવીને ભારતે જીતી બ્લાઇન્ડ ટી-૨૦ સિરીઝ