શહેરના નિલમબાગ પેલેસ ખાતે ક્ષત્રિય નારી રત્ન એવોર્ડ સમારોહનું આયોજન તૃપ્તિબા રાઓલ (માણસા), અજયસિંહ જાડેજા તથા જયરાજસિંહ જાડેજાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રીવાબા જાડેજા સહિતના અનેક ક્ષત્રિય અગ્રણી મહિલાઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા અને ચેતનાબા જાડેજા, દશરથબા પરમાર તથા ગીતાબા વાઘેલાને નારી રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.