સિહોરમાં પાણીની લાઈન માટે ખોદેલા ખાડા યથાવત, રસ્તા પર પાણીનો વેડફાટ

688

સિહોર નગરપાલિકાની આળસને કારણે સિહોરના ખારાકુવા ચોક પાસે આવેલા રસ્તામાં પાણીની લાઈન રીપેરીંગ માટે ગાળવામાં આવેલા ખાડાને આજે ૨૦ દીવસ જેટલો સમય થઈ ગયો હોવા છતા પણ કામ કરવામાં આળસુ સિહોરનું પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ એવું લાગી રહ્યું છે. રોડ ઉપરના આ ખાડાને કારણે બે-ત્રણ જણને નાની મોટી ઈજાઓ પણ થઈ છે આ રસ્તે ચાલતા વાહનચાલકો અને આ વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને નવાઈની વાત તો એ છે કે આ જ રસ્તા પર સિહોર નગરપાલિકાના પ્રમુખ અને વોટરવર્કસના ચેરમેનની રોજની અવરજવર હોવા છતાં કેમ આ ખાડા તરફ ધ્યાન નથી જઈ રહ્યું તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. આ બાબતે પાલિકા તંત્ર વહેલી તકે લાઈન રીપેર કરાવીને લોકોને પડતી મુશ્કેલી વહેલી તકે દૂર કરે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. ત્યારે બીજી બાજુ સામાન્ય વાલ્વ લીકેજના કારણે અમુલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એલ.ડી.મુની હાઈસ્કુલ સામેના રસ્તા ઉપર હજારો લીટર પાણીનો વેડફાટ થઈ જવા પામ્યો હતો.

Previous articleચોરી કરેલ મોબાઈલ અને રોકડ સાથે એક ઈસમને ઝડપી લેતી એલસીબી
Next articleરોડ રસ્તા પ્રશ્ને પારૂલબેન ત્રિવેદી સમક્ષ રજુઆત