ઘોઘા રોડ ખાતેના મોટા શિતળા માતાજીના નવા મંદિરમાં પધરામણી

740

ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે આવેલા મોટા શીતળા માતાજીનું મંદીર રસ્તા વચ્ચે હોય આથી વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી શીતળા માતાજીનું મંદિર ત્યાંથી પાછળના ભાગે નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. શુક્રવારના રોજ શીતળા માતાજીના મુર્તિને પધારમણી કરવામાં આવી હતી. આ દરમ્યાન હવન, બટુક ભોજન, આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ ઉદય મકવાણા, મહામંત્રી ભરત મોણપરા, મહંત પ્રભાશંકર દાદા ભટ્ટ, ચદુભાઈ મેર, શંકર મકવાણા, જગજીવન યાદવ તેમજ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી SOG
Next articleમાનવભક્ષી સિંહ આખરે પાંજરે પુરાયો