એનએસએસ યુનિટ વન-ડે કેમ્પનું થયેલું આયોજન

730

બેલુર વિદ્યાલય દ્વારા છેલ્લા બે વર્ષથી એનએસએસ યુનિટ દ્વારા રાષ્ટ્રીય સેવા, સામાજ સેવા, સમાજ ઉત્થાન કાર્ય્‌ તથા સામાજિક વિકાસાર્થે કાર્યરત છે. એનએસએસ યુનિટ દ્વારા દર વર્ષે વન-ડે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે મહુવા નજીક ભવાની મંદીર ખાતે આયોજન કરવામાં આવેલ. ભવાની ખાતે સ્વચ્છતા, જુથ ચર્ચા, શ્રમકાર્ય, રમત-ગમત, ડીબેટ, સમાજ જાગૃતિ નાટક વિગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. જેમાં ઉત્સાહપુર્વક બાળકોએ ભાગ લીધેલ.

વન-ડે કેમ્પને સફળ બનાવવા બદલ પ્રોજેકટ ઓફિસર સંદિપભાઈ તથા બાળકોને સંસ્થાના એમ.ડી. બી.સી. લાડુમોર તથા સેક્રેટરી પી.એમ. નકુમ બેલુર વિદ્યાલય પરિવારે શુભકામના પઠાવેલ.

Previous articleગઢડાની રામપરા પ્રા.શાળામાં શિક્ષકોનું સમુહ ભોજન યોજાયું
Next articleરાણપુરમાં દિગમ્બર સાધુઓનો સંઘ પહોંચતા દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા