ઘાંચી સમાજ સમુહ શાદી સમારોહ યોજાયો

1554

સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચ જમાત ભાવનગર દ્વારા આજે ઘાંચી સમાજનો ૧૯મો સમુહ શાદી જશ્ન યોજવામાં આવ્યો હતો. જેમાં પ૦ દુલ્હા-દુલ્હનો નિકાહના પાક બંધને બંધાયા હતાં.

અકવાડા મદ્રેસાના હઝરત મૌલાનામોહંમદ હનીફ સાહેબ વસ્તાનવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઘાંચી સમાજના સમુહ શાદી સમારોહમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, રહીમભાઈ કુરેશી, ઈકબાલ આરબ, બુધાભાઈ પટેલ, જુસબભાઈ સિદાતર સહિત રાજકિય આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતાં. સમુહ શાદીમાં જોડાયેલા તમામ દુલ્હા દુલ્હનોને શુભેચ્છા પાઠવી હતી.

સમુહ શાદીમાં જોડાયેલા તમામ દુલ્હનોને ઘાંચી સમાજના આગેવાનો તથા દાતાઓના સહયોગથી કરાયાવર સ્વરૂપે ભેટ સોગંદાો આપવામાં આવી હતી. આ સાદી સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત રાજયભરમાંથી ઘાંચી સમાજના આગેવાનો તથા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleઆત્મીય યુવા મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટયા
Next articleતા.૦૭-૧૧-ર૦૧૮ થી ૧૩-૦૧-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય