બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો ૪ લાખની ચોરી કરી ગયાની ફરિયાદ

800

ભાવનગરનો પરિવાર પોતાની દીકરીને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખીચડો આપવા સુરત ગયા હતા ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂા.૪ લાખની માલમત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા.

બનાવની વિગતો એવી છે કે શહેરનાં ચિત્રા સીદસર રોડ ઉપર આવેલ બજરંગ બાળક સોસાયટીનાં પ્લોટ નં.૧૪૪-એ માં રહેતા હર્ષદભાઈ વાલજીભાઈ રાઠોડ પોતાની માતા સાથે સુરત બહેનનાં ઘરે મકરસંક્રાતી નીમીતે ખીચડો દેવા માટે સુરત ગયાહ તા ત્યારે ભાવનગરમાં તેના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ તાળા તોડી રોકડા રૂા.૨ લાખ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૪ લાખની માલમત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા આ બનાવ અગે ડી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગરમાં દબાણ હટાવ કામગીરી
Next articleસાયબર ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન અંગે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ