ગુજરાતી લેખક મંડળની કારોબારીની રચના

535

ર૦૧૮ યોજાયેલી સંચાલન સમિતિની ચૂંટણીમાં કુલ ૩૪ સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી કુલ ૧૭ સભ્યોએ ચૂંટણીમાં જીત મેળવી હતી. આ સંચાલન સમિતિની મીટીંગ મંડળની ઓફિસે યોજાઈ હતી. જેમાં મંડળના અધ્યક્ષ કારોબારી સમિતિ અને અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં વર્ગીસ પોલ – અધ્યક્ષ, મનીષની જાની – પ્રમુખ, પ્રતિભા ઠકકર – ઉપપ્રમુખ, નટવર હેડાઉ –  ઉપપ્રમુખ, મનહર ઓઝા – મંત્રી, નીતા પટેલ – મંત્રી, પરિક્ષિત જોશી- ખજાનચી, તથા કારોબારી સભ્યો દક્ષા સંઘવી, સોમાભાઈ પટેલ, પારૂલ બારોટ, રવજીભાઈ કાચા, તખુભાઈ સાંડસુર, રમણીક અગ્રાવતની ત્રણ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવેલ છે.

Previous articleતળાજા પ્રા.શાળામાં બાળકોને પતંગનું વિતરણ
Next articleબરવાળા ખાતે ટીબી અને રક્તપિત જનજાગૃતિ