ઉત્તરાયણના દિવસે લોકોને પતંગના દોરાથી બચાવતા ફોટોગ્રાફર અજય જાડેજા

674

ઉત્તરાયણના દિવસે આખા દિવસ દરમ્યાન પતંગો ઉડતી હોય છે અને કપાતી પતંગોના દોરા રોડ પરથી પસાર થતા લોકોની ડોકમાં ભરાઈ છે અને ગંભીર ઈજા થાય છે. અજય જાડેજા દ્વારા સવારના ૮-૩૦ થી ૧ર-૩૦ સુધી જ્વેલ્સના સર્કલમાં ઉભા રહીને બધી જ બાજુથી પસાર થતા લોકોને વાહન ધીમે ચલાવવા અને દોરાનું ધ્યાન રાખવાની અવેરનેસ આપી, તો ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા લોકોને પણ સમજાવ્યા. આ સમય દરમ્યાન પ૦૦થી વધારે લોકોને અવેરનેસ આપી, જે લોકો પાસે મફલર હતા તેમને ડોકમાં વીટી દેવાનું કહેવામાં આવ્યું. આવી જ રીતે સાંજે પણ ૩ થી ૪ કલાક અલગ-અલગ એરિયામાં અવેરનેસ આપવામાં આવી હતી.

Previous articleવલ્લભીપુરમાં ઘાયલ પક્ષીઓની સારવાર
Next articleબોટાદ પોલીસે દિવ્યાંગો સાથે ઉજવણી ઉત્તરાયણ