રતનપરના દલીત વૃધ્ધની સ્મશાનમાં અંતિમ વિધિ કરવા ન દેતા એસ.પી. કચેરીએ રજૂઆત

1047

ભાવનગર જિલ્લાના રતનપર ગામમાં આવેલ સ્મશાનમાં દલીત વૃધ્ધના મૃતદેહની અંતિમ વિધિ કરવા દેવામાં ન આવતા પરિવારના સભ્યો વૃધ્ધના મૃતદેહને લઈને ભાવનગર એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા અને સીટી ડીવાયએસપીને રજૂઆત કરી હતી.

ભાવનગર જિલ્લાના રતનપર ગામમાં રહેતા કેશુભાઈ સુમરા નામના વૃધ્ધનું મૃત્યુ થતા પરિવારજનો દ્વારા તેમના મૃતદેહની અંતિમવિધિની તૈયારી કરવામાં આવી હતી. જો કે ગામના સરપંચે સ્મશાનમાં અંતિમવિધિ કરવાની મનાઈ કરતા મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનો મૃતદેહ સાથે એસ.પી. કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.

આ સમસ્યા અંગે ડીવાયએસપી મનિષભાઈ ઠાકરે ગામના સરપંચ સહિતના સાથે વાત કરી સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. ત્યારબાદ મૃતકની અંતિમવિધિ કરવામાં આવી હતી.

Previous articleજયરાજસિંહ મોરીનું સન્માન
Next articleબરવાળાના રોજિદ ગામ પાસે અકસ્માત ૧નું મોત, ૫ને ઈજા