રાણીકા વિસ્તારમાં રહેતા યુવાને ગળાફાંસો ખાધો

2006

શહેરના રાણીકા વિસ્તારમાં ભાંગના કારખાના પાસે રહેતા જગદીશભાઈ મનસુખભાઈ ડાભી નામના યુવાને આજે સાંજના સમયે તેના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા મોત થયું હતું. આ બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. અને તુરંત પોલીસને જાણ કરાતા ગંગાજળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને લાશને નીચે ઉતારી જરૂરી કાગળો તૈયાર કરી પી.એમ. અર્થે ખસેડાઈ હતી. આ બનાવ અંગે સ્થાનિક  વિસ્તારોમાં ઘર કંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ લીધો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleશહેરનો વિકાસ કે નાણાનો વેડફાટ !
Next article૭૦ વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયામાં વન-ડે સિરિઝ જીતી