ગઢડામાં ૩૧ માર્ચે મેમણ સમાજના સમુહ શાદી સમારોહનું આયોજન

703

ગઢડા મેમન સમુહ શાદી કમિટી દ્વારા આગામી ૩૧ માર્ચના રોજ ભવ્ય સમુહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં સમુહ શાદીના વિશિષ્ટ અને સફળ આયોજન થકી પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારી ગઢડા મેમન સમુહ શાદી કમિટીના સભ્યોની એક બેઠક આજરોજ ઈરફાનભાઈ ખીમાણીની ઓફિસ ખાતે મળેલ હતી. જેમાં બારમો સમુહ શાદી સમારોહ ૩૧-૩ને રવિવારના રોજ રાખવાનું નક્કી કરવામાં આવેલ.

આ સમુહ શાદીમાં ગુજરાતભરમાંથી કોઈપણ દુલ્હા-દુલ્હન જોડાઈ શકે છે. મર્યાદિત સંખ્યા લેવાની હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવામાં આવશે તેમ ગઢડા મેમન સમુહ શાદી કમિટીના પ્રમુખ ઈરફાનભાઈ ખીમાણી દ્વારા જણાવવામાં આવેલ છે.

Previous articleરાજુલા તા.પં.ના નવનિયુક્તિ પ્રમુખ, ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો
Next articleસિહોર નગરપાલિકાની જમીનમાં ગેરકાયદેસર યોજાતા વાહન મેળા