રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તળે નિકળેલી રેલી

986

ભાવનગર મહાપાલિકા, દિન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા તા. ૧-ર-ર૦૧૯ના રોજ મનહરભાઈ મોરી, મેયર દ્વારા આજરોજ સવારના ૧૦-૦૦ કલાકે જશોનાથ ચોકથી રેલીને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ તેર ેલી અટલ બિહારી બાજપાઈ ઓપનએર થિયેટર ખાતે પહોંચેલ ત્યાર બાદ મેયર દ્વારા શહેરી સમૃધ્ધિ ઉત્સવ કાર્યક્રમનો દિપ્રાગટય કરી શુભ આરંભ કરેલ. ત્યારબાદ દિનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના સ્વ. રોજગાર કાર્યક્રમ અંતર્ગત બેંકો દ્વારા મંજુર કરેલ ૪પ લોન લાભાર્થીઓને રીક્ષા માટે, સોડાના મશીન માટે, સલાઈ મશીન માટે, પ્લાસ્ટીક યાર્ન, બ્યુટી પાર્લર વગેરે ધંધા માટે મંજુરી પત્ર મનહરભાઈ મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કમિશ્નર એમ.એ.ગાંધી ડે. કમિ એન.ડી. ગોવાણી, સીટી એન્જી. એમ.આર.કુકડીયાના હસ્તે આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહાનુભાવો પદાધિકારીઓ, નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Previous articleમહાત્મા મંદિર ખાતે વિદેશની પ્રતિષ્ઠિત યુનિ. સાથે મેગાફેર
Next articleમહિલા PI ચાવડાની ધરપકડ : ૧ દિવસના રિમાન્ડ