આરએમડી હોસ્પિટલ ખાતે જયા રિહેબીલીટેશનનો પ્રારંભ

870

પાલીતાણા ગીરીવિહાર ટ્રસ્ટ સંચાલિત આર.એમ.ડી હોસ્પિટલ ખાતે આજરોજ જયા રિહેબિલિટેશન નું ઓપનીગ કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સાધ્વી ભગવંતો દ્વારા ગુરુ મંદિર પાસે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું  ત્યારબાદ જમ્મુમાં શહીદ થયેલા જવાનોને  ૨ મિનીટ મોન પાળી શ્રધ્ધાજલી આપવામાં આવી હતી તેમજ અજયભાઈ શાહ તેમજ મુકેશભાઈ દોશી  આર એમ ડી હોસ્પિટલ ટ્રસ્ટી તેમજ જયા રિહેબિલિટેશન ના દાતા અરવિંદભાઈ શાહ દ્વારા વ્યત્વ્ય આપવામાં આવ્યું હતું મહેમાનો દાતાઓ ને આર એમ ડી હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઈનોવા કાર આર એમ ડી હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી જેના દાતા વિજયભાઈ ચેડા નું પણ આ તકે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહેમાનો દ્વારા રીબીન કાપી જયા રિહેબિલિટેશન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા અને આર એમ ડી હોસ્પિટલ પાલીતાણા તાલુકાના લોકોને વધુ સારી સુવિધા પાડી શકે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Previous articleબગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવારને રાજયપાલના હસ્તે એવોર્ડ
Next articleરાણપુરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી સમસ્ત ગ્રામજનોએ વિશાળ મૌન રેલી કાઢી