પાકિસ્તાન શૂટર્સને વીઝા ન આપવા પર IOCએ ભારત પર લગાવ્યો પ્રતિબંધ

1173

પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ રમતના મેદાન સુધી પહોંચી ગયો છે. ગુરૂવારથી દિલ્હીમાં શર થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનના શૂટર્સને ભાગ લેવા માટે વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. શૂટર્સના વિઝા કેન્સલ થવાના લીધે પાકિસ્તાનના શૂટર્સે ઇન્ટરનેશલ ઑલિમ્પિક કમિટીમાં રજૂઆત કરી હતી. શૂટર્સને વિઝા ન આપવાના ભારતના નિર્ણયને વખોડતા ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીએ ભારતમાં ઑલિમ્પિકના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ભારતમાં ગ્લોબલ સ્પોટ્‌ર્સના કોઈ પણ આયોજન યોજી નહીં શકાય.

ઇન્ટરનેશનલ ઑલિમ્પિક સમિતિએ જણાવ્યું, ભારત સરકાર અને ઑલિમ્પિક સમિતિ યોગ્ય સમયે ખેલાડીઓને સ્પર્ધા સુધી પહોંચાડી શકી નહીં, જેના પગલે આઈઓસીએ નિર્ણય લીધો છે કે ભારતમાં ભવિષ્યમાં યોજાનારી તમામ ગ્લોબલ ઇવેન્ટ્‌સને સસ્પેન્ડ કરવામાં આવે છે. હવે ભારતમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ કરવાની પરવાનગી નહીં મળે. આ પ્રતિબંધ ત્યા સુધી રહેશે જ્યાં સુધી ભારત સરકાર ભવિષ્યમાં આવું નહીં થવાની લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યા સુધી આ પ્રતિબંધ રહેશે.

આઈઓસીએ અન્ય સ્પોટ્‌ર્સ ફેડરેશન સમક્ષ પણ માંગણી કરી છે કે ભારત પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાની શૂટર્સના વિઝા રદ્દ કર્યા ત્યાર બાદ કમિટીએ ભારતને ઑલિમ્પિકના ઓપાલ ૧૬ કોટા પણ પરત લઈ લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાચાર ભારતમાં માટે મોટો ઝટકો છે, ભારતીય ઑલિમ્પિક સંઘે ૨૦૨૬ યૂથ ઑલિમ્પિક્સ, ૨૦૩૦ એશિયન ગેમ્સ અને ૨૦૩૨ ઑલિમ્પિક્સને ભારતમાં યોજવાની તૈયારી કરી હતી.

Previous articleબંન્ને દેશો વચ્ચે રમતના સંબંધ પ્રભાવિત ન હોવા જોઇએ : રેસલર સુશીલ કુમાર
Next articleહાઈકોર્ટે માનસિક બીમાર ગણી માતા-પિતા અને પુત્રીના હત્યારાની મૃત્યુદંડની સજા રદ કરી