ગારિયાધારની કે.વી.વિદ્યાલયનો શનિવારે વાર્ષિકોત્સવ ઉજવાશે

556

ગારીયાધાર શહેર માં સરદાર વલ્લભભાઈ પટેલ માનવ સેવા મંડળ સંચાલિત  કે વી વિદ્યાલય માં ૨૩ મો વાર્ષિકોત્સવ આગામી તા૨/૩/ ના રોજ ઉજવાશે  સરકાર ના નીતિ આયોગ ના સૌજન્ય થી બાળકો માં રહેલ સર્જનાત્મક અને સંશોધન કૌશલ્ય નું સિંચન કરતી સંસ્થા ના ૨૩ માં વાર્ષિકોત્સવ દીને અટલ ટિંકરિંગ લેબ નો પ્રારંભ જંગમી તીર્થંકર જયદેવ ચરણજી મહારાજ ના આશીર્વચન સાથે ઉદ્ધાટક મંત્રી મનસુખભાઈ માંડવીયા ના વરદહસ્તે સાંસદ નારણભાઈ  કાછડીયા અમરેલી ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી ગારીયાધાર સહિત ભાવનગર ડી કો બેન્ક ના નાનુભાઈ વાધાણી ધારાસભ્ય પ્રવીણભાઈ ધોધારી સુરત અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ સૌરાષ્ટ્ર યુનિ ના વિજયભાઈ દેશાણી સહિત ભાવનગર જિલ્લા ના ઉચ્ચ અધિકારી ઓ કેળવણીકાર રાજસ્વી સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓ ના સૂત્રધારની વિશાળ ઉપસ્થિતિ માં ધો ૧૦/૧૨  ના છાત્રો નો વિદાયમાન તેજસ્વી છાત્રો ને શિલ્ડ સન્માન કર્મઠ શિક્ષક કર્મચારી ગણ નું વિશિષ્ઠ બહુમાન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોજાનાર ૨૩ મો વાર્ષીકોત્સવ ઉજવવા નું  આયોજન  કરાયું છે પ્રાથમિક કેળવણી થી લઈ ને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી નર્સરી પ્રિ પ્રાયમરી બી એ આર્ટસ બી કોમ એમ કોમ કોમર્સ કોલેજ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સાયન્સ શિક્ષણ ક્ષેત્રે સુંદર વ્યક્તિ વિકાસ ઘડતર કરતી કે વી વિદ્યા મંદિર ખાતે રંગારંગ ૨૩ માં વાર્ષિકોત્સવ ની ઉજવણી કરાશે.

Previous articleચિતલમાં ૫૧મો નેત્રયજ્ઞ યોજાઇ ગયો
Next articleઆરોગ્ય કર્મચારીઓની હડતાલના લીધે ગ્રામીણ આરોગ્ય રામભરોસે