માળનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી

1163

આશરે ૬પ૦ વર્ષ જુના અતિપ્રાચિત એવા ઐતિહાસિક માળનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવપુજા અર્ચના તેમજ દિપમાળા, આરતી તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન માળનાથ ગૃપ કરે છે જેની સ્થાપના ૧૯-૧-૧૯૯રના રોજથી પક્ષીઓ માટે ચણ એકઠું (ભેગુ) કરીને માળનાથ મહાદેવના સાનિધ્યમાં આશરે દરરોજ ૭પ કિલો જેટલું ચપણ પહોંચાડે છે. અને પક્ષીઓ દરરોજ ૭પ થી ૧૦૦ કિલો ચણ ચણી જાય છે. આ ઉપરાંત માળનાથ ગૃપ પક્ષીના પાણીના કુંડા તથા પક્ષીના માળાનું વિનામુલ્યે વિતરણ કરે છે. જય માળનાથગૃપ દ્વારા તા. ૪-૩-ર૦૧૯, મહાવદ ૧૩ને સોમવારના રોજ કરવામાં આવેલ છે. મહાશિવરાત્રીનું પાવન પર્વ હોઈ આ પવિત્ર દિવ્સે ભંડારિયા સ્થિત, માળનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના દિવસે વહેલી સવારે ૬-૦૦ કલાકે દિપ માળા, સવારે ૯-૩૦ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧ર-૩૯ કલાકે દિપમાળા, સાંજના ૭-૦૦ કલાકે દિપમાળા, રાત્રીના ૧ર-૦૦ કલાકે દિપમાળા તથા જય માળનાથ ગૃપ દ્વારા મહાપ્રસાદ (ફળાહાર)નું સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના પ-૦૦ કલાક સુધી. શિવપુજા, શિવપુજાસ્તવન તેમજ આ પ્રસંગે પધારનાર ભાવીભક્તોને શિવદર્શનનો વિશિષ્ટ લાભ તથા પધારનાર સાધુસંતોનું ભવ્ય સ્વ્ગત વિગેરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. રૂદ્રહોમનું આયોજન સવારના ૯-૦૦ થી ૪-૦૦ કરવામાં આવેલ છે. શ્રીફળ હોમવાનો સમય બપોરે ૪-૦૦ કલાકે રાખેલ છે. તથા સૌપ્રથમવાર માળનાથ દાદાના સાનિધ્યમાં અલગ-અલગ ધાર્મિક તથા સાંસ્કૃતિક ભવ્ય સેટો (પ્રદર્શનો)નું આયોજન કરેલ છે.

Previous articleશહેરના જવાહર મેદાનમાં ગુરૂવારથી જીજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહનો પ્રારંભ
Next articleસૃષ્ટિ માટે આવશ્યક વન્ય જીવન