સિહોરની શિવશક્તિ સોસાયટી ખાતે હનુમાનજી મહારાજની મૂર્તિની પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

509

સિહોર મધ્યે આવેલ શિવશક્તિ સોસાયટીમાં આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ ના મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિ ની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા યોજાયેલ જે ઘનશ્યામભાઇ ડાંગર ના ઘરેથી મહારાજ ની મૂર્તિને ગાજતે વાજતે મંદિર ખાતે લાવવામાં આવેલ ત્યાં નવગ્રહ હોમાત્મક હવન ,મૂર્તિના અંજન,શુદ્ધિકરણ કરવામાં આવેલ ત્યાર બાદ પ્રસ્થાપિત કરી ફરી શોભાયાત્રા કાઢવામાં આવેલ આ શોભાયાત્રા આજુબાજુ ની શિવશક્તિ, પુનિતનગર, સિંધીકેમ્પ, વૃંદાવન, શ્રીજીનગર, કેલાસનગર સહિત સોસાયટીમાં ફરી હતી ત્યારે આ વિસ્તારના તમામ ભક્તજનો પુનઃપ્રાણપ્રતિષ્ઠા તથા શોભાયાત્રા મા જોડાયા હતા અને દરેક માટે મહાપ્રસાદ નું પણ આયોજન ચંદ્રમૌલેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleચમારડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા વિરજીભાઈ ઠૂંમર
Next articleગારિયાધારમાં નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું