ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિની ચૂંટણીમાં ફરિવાર પ્રમુખ તરીકે ચૂંટાતા શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ

616

ગત રવિવારે ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિની હોદ્દેદારો તથા પ્રમુખ માટેની ચૂંટણી કપોળ વાડી ખાતે યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે કપોળ જ્ઞાતિમાં છેલ્લા ૬ વર્ષથી સફળતાપુર્વ્ક સેવા આપી રહેલ દેવેનભાઈ શેઠ તથા આદિત્ય આઈસ્ક્રીમવાળા પ્રકાશભાઈ મહેતા ચૂંટણી લડી રહ્યા હતાં. દેવેનભાઈ શેઠની છેલ્લા ૬ વર્ષથી જ્ઞાતિ માટેની નિષ્ઠા, સેવા તથા જ્ઞાતિ માટે કરેલ વિકાસને ધ્યાનમાં લઈ જ્ઞાતિજનોએ તેઓને ભારે બહુમતીથી પ્રમુખપદ માટે વધુ ૩ વર્ષ માટે ચૂંટી કાઢ્યા હતાં. આ તબક્કે પ્રમુખ દેવેનભાઈ શેઠએ તમામ જ્ઞાતિજનો તથા કપોળ મહિલા મંડળનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે હવેના વર્ષોમાં જ્ઞાતિના તથા જ્ઞાતિજનોના વીકાસ માટે વધુમાં વધુ કાર્યો કરવામાં આવશે તેની હું ખાત્રી આપું છું. ચૂંટણી એકદમ એખલાસભર્યા વાતાવરણમાં તથા શાંતિપુર્ણ મતદાન કરવા તમાનમ જ્ઞાતિજનોનો આભાર વ્યકત કર્યો હતો. દેવેનભાઈ શેઠની પેનલમાં ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ મહેતા, મંત્રી તરીકે જગયંતભાઈ સંઘવી, સહમંત્રી અમીતભાઈ વોરા, ખજાનચી તરીકે અમીભાઈ સંઘવી તથા કમિટિના સભ્યોમાં અમીતભાઈ શેઠ, હરેશકુમાર સંઘવી, મનીષભાઈ મોદી, રાજેન્દ્રભાઈ શેઠ, સુનીલભાઈ મુની તથા મનીષભાઈ મહેતા ચૂંટણીમાં વિજેતા થયા હતાં. આ ચૂંટણીમાં ચૂંટણી કમિશનર તરીકે વિનોદભાઈ બુસા, બિરેન્દ્રભાઈ મહેતા, તથા પ્રવિણભાઈ ચીતલીયાએ સેવા આપેલ. તેઓનો મંત્રી જયંતભાઈ સંઘવીએ આભાર વ્યકત કરેલ. ચૂંટણીના અંતે પ્રકાશભાઈ મહેતા તથા કેયુરભાઈ મહેતાએ જણાવેલ કે અમો જ્ઞાતિના દરેક વીકાસ કાર્યોમાં ચૂંટાયેલા કમિટિને પુરેપુરો સહકાર આપીશું તથા તેઓએ દેવેનભાઈ શેઠ અને તેના દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતાં. અંતમાં દેવેનભાઈ શેઠએ જ્ઞાતિના વિકાસ માટે તેમની કમિટિના તમામ સભ્યોએ કરેલ અથાય પરિશ્રમ માટે દરેકનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleગારિયાધારની વી.ડી. વાઘાણી વિદ્યાસંકુલની વિવિધ સંસ્થાનો વાર્ષિકોત્સવ ઉજવાયો
Next articleરંઘોળા અકસ્માતની વરસી મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ