જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનો ભાવનગર ખાતે આજથી પ્રારંભ

1126

સમસ્ત નાનાભાઈ ભરવાડ સમાજ દ્વારા સમસ્ત લોક કલ્યાણ અને સર્વ પિતૃ મોક્ષાર્થે ભાવનગર ખાતે પૂ. જીજ્ઞેશ દાદા (રાધે રાધે) કેરીયાચાડવાળાની ભાગવત સપતાહ તથા મહા વિષ્ણુયાગનું આયોજન કરાયું છે.  આ કથાનો પ્રાંરભ અનાજ તા. ૭ને ગુરૂવારથી થનાર છે. આજે સવારે રામચંદ્રદાસજી મહારાજની જગ્યા તપસીબાપુની વાડી, ગુલિસ્તા ગ્રાઉન્ડથી સવારે ૮-૧પ કલાકે ભવ્ય પોથીયાત્રા નિકળશે. જેમાં મહારાષ્ટ્રનું વિશેષ આવિષ્કાર બેન્ડ ઉપરાંત વિવિધ ફલોટ તથા ભાવનગરની વિવિધ સત્સંગ મંડળોની ભજન મંડળી તથા ભરવાડ સમાજ અને અન્ય સમાજના લોકો વિશેષ ભાતીગળ પોષાકમાં જોડાશે. આ પોથીયાત્રા જવાહ રમેદાન ખાતે ઉભા કરાયેલા વિશાળ વૃંદાવનધામ ખાતે યજમાન ચોહલા પરિવારના મણીબેન સંતોષભાઈ  ચોહલા, કંકુબેન પાંચાભાઈ ચોહલા તથા સાધુ-મહંતોના હસ્તે દીપ પ્રાગટાવી કથારંભ કરાશે.  તા. ૧૩મી સુધી ચાલનારી આ કથામાં દરરોજ વિવિધ પ્રસંગોની ઉજવણી કરાશે જયારે શ્રોતાજનો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ રખાઈ છે. દરરોજ મહાવિષ્ણુયાગનું પણ આયોજન કરાયું છે. કથા સમય સવારે ૯ થી ૧ દરમ્યાન છે.

Previous articleપાણવી ગામ નજીક કાર પલ્ટી જતા યુવતીનું મોત : પાંચને ઈજા
Next articleપાલિતાણા શેત્રુંજી ડેમ ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી નર્મદા નીરના વધામણા કરશે