હું અમિત શાહ અને પીએમ મોદી જેવો અહંકારી નથી, શહીદો પર રાજનીતિ નહીંઃ શક્તિસિંહ

1083

૧૨મી માર્ચે મંગળવારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અમદાવાદ આવ્યા. તેમના ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા અનેક નેતાઓ હાજર રહ્યા.

આ કમિટીની બેઠક પહેલા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ’ સીડબ્લ્યુસી ગુજરાતમાં મળી રહી છે તે ખુબજ આનંદની વાત છે. આજે ઐતિહાસિક દિવસ છે. આપણા સૌના માટે ગર્વનો દિવસ છે. આજનાં જ દિવસે ગાંધીજીએ દાંડીકૂચ અંગ્રેજો સામે કરી હતી. ૧૯૬૧ પછી અહીં વર્કિંગ કમિટિની બેઠક અહીં મળી હતી. અમારા સંવાદદાતાએ શક્તિસિંહને પૂછ્યું કે તમે ૨૬માંથી કેટલી બેઠકો જીતશો એના જવાબમાં તેમણે કહ્યું, હું અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવો અહંકારી નથી.

વિધાનસભા સમયે તેઓ કહેતા હતાને કે મિત્રો ૧૫૦થી વધારે જીતીશું પરંતુ ૩ આંકડામાં પણ ન હતાં પહોંચ્યાં. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે. હું જરૂર તેમને કહીશ કે ત્રાજવામાં મુકજો. આજે આખું ધ્યાન બીજી બાજુ લઇ જવાય છે. કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પાકિસ્તાનનાં બે ટુકડા કર્યા ત્યારે ઇન્દિરા ગાંધી કે કોંગ્રેસ પાર્ટીએ વોટ લેવાનો પ્રયત્ન ન હતો કર્યો. શહીદી પર કોઇ વોટ બેંકની રાજનીતિ ન થાય.’

તેમણે આગળ કહ્યું કે, ’ખેડૂતોનું દેવું માફ થાય, યુવાનોને રોજગારી અપાય, ગુજરાતનું હિત થાય, લોકોની હિત માટેની વાત કરીને વોટો મંગાય અને ચૂંટણી લડાય.’

કોંગ્રેસમાંથી ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યાં છે તે અંગે વાત કરતાં જણાવ્યું કે, ’સામ, દામ, દંડ, ભેદ એક લેવલ સુધી ચાલે પરંતુ લોકશાહીનાં થોડા સિદ્ધાંતો છે. બીજેપી કહે છે કે અમારી પાસે કેડર છે સારા માણસો છે તો કેમ કોંગ્રેસનાં નેતાઓને લઇને મંત્રી બનાવવા પડે છે. આ એ જ દર્શાવે છે કે બીજેપીમાં કેટલી ગભરામણ છે. જે કાલ સુધી તમારા વડાપ્રધાનને નંદા ગાંડા સાથે સરખાવતા હોય તે પણ તમારે ભુલવું પડે તેનાથી દયાજનક પરિસ્થિતિ ભાજપ માટે બીજી કોઇ ન હોય શકે.’

Previous articleગાંધીનગર સિવીલ હોસ્પિટલ તબીબોના મામલે ઓક્સિજન પર
Next articleચોકીદારએ કાળાનાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક ન કરીઃ ધાનાણી