બરવાળા પાસે અજાણ્યા વાહનની  અડફેટે આધેડનું મોત

1462

બરવાળા-વલભીપુર હાઈવે ઉપર બરવાળા ખાતે બ્રિજરાજ પેટ્રોલપંપ પાસે તા.૧૧/૦૩/૨૦૧૯ ના રોજ રાત્રે ૮/૩૦ ના અરસામાં અજાણ્યા વાહન ચાલકે જી.જે.૦૪.એ.સી.૫૮૫૬ ને ટક્કર મારતા રવજીભાઈ લખમણભાઈ માવાણી, ઉ.વ.૬૦ રહે.ઢાઢોદર, તા.બરવાળાને માથાના ભાગે લોહીયાળ ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે કમકમાભર્યુ મોત નિપજ્યું હતુ આ બનાવની જાણ  ૧૦૮ ને થતા ઇએમટી રામદેવસિંહ ગોહિલ,પાયલોટ લાભુભાઈ નાકીયા તેમજ બરવાળા પો.સ.ઇ.આર.કે.પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી હતી.જ્યારે અકસ્માતને અંજામ આપી નાશી છુટેલ અજાણ્યા વાહન ચાલકને પકડી પાડવા ચક્રોગતિમાન કરી દીધેલ છે.આ બનાવમાં ભોગ બનેલ આધેડનું પી.એમ. બરવાળા સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે કરાવવામાં આવ્યુ હતુ.આ બનાવ અંગેના સમાચાર વાયુવેગે પ્રસરી જતા મૃતકના સગા-સંબંધી બરવાળા સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે દોડી ગયા હતા.આ બનાવથી ઢાઢોદર ગામે ગમગીની પ્રસરી ગઈ હતી.

Previous articleશહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો
Next articleઈંગ્લીશ દારૂની ૧ર બોટલ સાથે ક.પરા.ના બે શખ્સોની ધરપકડ