નવી દિલ્હીઃ યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે કહ્યું કે, તેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ગુસ્સાથી ડર લાગે છે.
પંતે પોતાની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સની સત્તાવાર વેબસાઇટ પર એક વીડિયોમાં કહ્યું, ’હું કોઈથી ડરતો નથી પરંતુ વિરાટ ભૈયાથી મને ડર લાગે છે.’ તેણે કહ્યું, ’…. પરંતુ જો તમે બધુ યોગ્ય કરી રહ્યાં હોવ તો તે (કોહલી) ગુસ્સે કેમ થશે.’
પંતે કહ્યું, જો તમે ભૂલ કરો છો અને કોઈ તમારાથી નારાજ થઈ જાય છે તો… તે સારૂ છે, કારણ કે તમે તમારી ભૂલમાંથી શીખો છો. પંતે રમતના ત્રણેય ફોર્મેટમાં કેટલિક શાનદાર ઈનિંગ રમી છે અને મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતી બાદ તેની જગ્યા લેવા માટે તૈયાર જોવા મળી રહ્યો છે.
૨૧ વર્ષના પંતની વિકેટકીપિંગથી ક્યારેક નિરાશ થઈ જાય છે. હાલમાં કોહલી ગુસ્સે થયો હતો જ્યારે પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી વનડે દરમિયાન ધોનીની જેમ સ્ટમ્પિંગ કરવાના પ્રયાસમાં એક રન ગુમાવી દીધો હતો.