બરવાળા સિતારામ મઢી ખાતે મારુતિ યજ્ઞ યોજાયો

860

બરવાળા મુકામે હાઈવે રોડ ઉપર આવેલ બાપાસીતારામ મઢી ખાતે મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે બળવંતસિંહ મોરી,પ્રતાપભાઈ બારડ,દીલુભા ઝાલા, નિરંજનભાઈ સોની સહિતના આગેવાનો,વેપારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા ખાતે સાળંગપુર રોડ ઉપર આવેલ બાપા સીતારામ મઢી ખાતે તા.૨૪/૦૩/૨૦૧૯ ના રોજ સવારના ૮ઃ૦૦ વાગ્યાથી મારુતિયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મારુતિયજ્ઞ બરવાળા શહેરના સુખ, સમૃધ્ધિ, જનસુખાકારી, જનકલ્યાણ, વિશ્વ કલ્યાણ, સર્વજનહિતાય સર્વજન સુખાયના શુભ આશયથી આશ્રમ સેવકગણ તેમજ બરવાળા નગરજનો દ્વારા આ યજ્ઞનું આયોજન કરાવામાં આવ્યુ હતુ આ યજ્ઞમાં ૭ દંપતિઓ યજમાન પદે રહી હોમાત્મક યગ્નમાં જોડાયા હતા આ યગ્નમાં વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ યગ્નમાં આહુતિઓ આપવામાં આવી હતી.

આ મારુતિ યગ્નનું આયોજન તેમજ સફળ બનાવવા મહેન્દ્રભાઈ રાણપુરા, દિલિપભાઈ ભંભા,હસુભાઈ કણજરીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleજે.કે.સરવૈયા કોલેજનો વાર્ષિક દિન ઉજવાયો
Next articleરાણપુર પાંજરાપોળમાં દર રવિવારે પશુઓની સેવા કરવા આવતું એકગૃપ