ભાવ. બેઠક માટે કોંગ્રેસમાંથી મનહર પટેલના નામની ચર્ચા

938

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાંથી આજે ૭ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.  જેમાં હજુ ભાવનગર બેઠકનો સમાવેશ કરાયો ન હતો. પરંતુ મોડી સાંજના સોશ્યલ મીડીયા ઉપર ભાવનગર-બોટાદ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા બોટાદના મનહરભાઈ વસાણી (પટેલ)નું નામ જાહેર થયું હોવાના મેસેજ વાયરલ થયેલા ત્યારે લોકસંસારના પ્રતિનિધિએ મનહરભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે પાર્ટી તરફથી હજુ સુધી મેસેજ કે ફોન આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. આમ આજે કોંગ્રેસમાંથી મનહરભાઈ પટેલના નામની ચર્ચએ સોશ્યલ મીડિયામાં જોર પકડ્યું હતું.

Previous articleકોંગીના ૭ ઉમેદવારોના નામ જાહેર
Next articleશાહ ૩૦મીએ અનેક ટોપ નેતાની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવશે