જાફરાબાદ કેળવણી મંડળની શાળાનાં ધો.૮નાં બાળકોનો વિદાય સમારોહ યોજાયો

711

જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઇ મહેતા ઉચ્ચ પ્રાથમિક શાળા, જાફરાબાદ ખાતે ધોરણ ૮ ના બાળકોનો વિદાય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે ધોરણ ૬ થી ૮ ના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં ભજન, સુવિચાર, ડાન્સ, નાટક, ગીત વગેેરે ઉત્સાહ પૂર્વક રજૂ કર્યો હતો. વિદાય લઇ રહેલા બાળકો જેમાં ટાંક ચાંદનીબેન જયંતિભાઇ અને બારૈયા સુજલભાઇ બકુલભાઇ એ પોતાના શાળા જીવનના લાગણી સભર અનુભવો વ્યક્ત કર્યા હતા અને વર્ષ દરમ્યાનનો ધોરણ ૮નાં વિદ્યાર્થીઓનો અભિપ્રાય સુપરવાઇઝર દિપિકાબેન મહેતાએ રજૂ કર્યો હતો. તથા વર્ષ દરમ્યાન નેતૃત્વ પુરૂં પાડનાર દરેક વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ધોરણ ૮ ના બાળકોને વર્ગ શિક્ષક કોમલબેન અને ભાવિકાબેનનાં હસ્તે સંસ્થાના નામની પેન આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓએ શાળાની લાગણી દર્શાવી સ્મૃતિ ભેટ અર્પણ કર્યા હતા. આચાર્ય ચાંદનીબેન કોટેચાએ બાળકોને ભવિષ્યમાં જ્વલંત સફળતાનો સંદેશ તથા ઉત્તરોત્તર પ્રગતિની શુભકામના પાઠવેલ હતી. કાર્યક્રમનું સંચાલન દિવ્યાબેન અને મોનિકાબેન દ્વારા તથા આભારવિધી જીજ્ઞાબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

Previous articleઋતુચક્રમાં ધરખમ ફેરફારોના કારણે વરસાદના વરતારા અપ્રસ્તુત – જયંત પંડયા
Next articleજાફરાબાદમાં ભાજપનાં નારણભાઇ કાછડીયાનાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ