સોનગઢ કષ્ટમોચન હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે

599

સિહોર તાલુકાના સોનગઢ ગામે પાંચવડા રોડ પર, નવાપરા નદીના કાંઠે કુદરતી સાનિધ્યમાં આવેલા કષ્ટ મોચન હનુમાનજી મહારાજ મંદિરે આવતીકાલ તારીખ ૧૯.૪.૨૦૧૯ ને શુક્રવારના રોજ હનુમાન જયંતી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં વહેલી સવારે પાંચ કલાકે પ્રાતઃ પૂજા થશે. ધ્વજારોહણ ૭/૩૦ કલાકે, મારુતિ યજ્ઞ ૮ઃ૦૦ કલાકે, કીર્તન સાંજના ૪.૦૦ કલાકે બટુકભોજન સાંજના ૫ઃ૦૦ કલાકે તથા હનુમાનચાલીસા ગાન સાંજે ૬ઃ૩૦ કલાકે અને સંધ્યા આરતી સાંજના ૭ઃ૦૦ થશે. મહા પ્રસાદ વિતરણ સાંજના ૭/૩૦ કલાકથી થશે. આ ધર્મ પ્રસંગનો લાભ લેવા મહંત હરેશપુરીજી નીતિનપુરીજી ગોસ્વામી તથા સર્વે સેવક સમુદાય દ્વારા અનુરોધ કરાયો છે.

Previous articleસિહોરની કુંજગલીમાં જીવલેણ ખાડાઓથી અકસ્માતની દહેશત
Next articleબારોટ સમાજની વાડી માટે અનુદાન આપી ઋણ ચૂકવતાં શાંતિદાસ, પ્રવિણનાથ બાપુ