પત્નિને બાંધી દઇ પતિની હત્યા : લૂંટ

1680

સિહોર તાલુકાના ઘાંઘળી ગામની સીમમાં રહેતા દેવીપૂજક દંપતિ પર હુમલો કરી ચાર અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. આથી બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

સિહોર તાલુકાના ઘાંઘળી ગામની સીમમાં રહેતા દેવીપૂજક સંજયભાઇ બીજલભાઇ પરમાર તથા તેના પત્ની રાધાબેન રાત્રીના સમયે તેના ઘરે સુતા હતા તે દરમ્યાન ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં આવીને સંજયભાઇના માથાના ભાગે ધારીયા વડે હૂમલો કરી તેના પત્ની રાધાબેનને બાંધી દઇ માર મારી ઘરમાં રાખેલ બે કિલો ચાંદી લઇને ફરાર થઇ ગયા હતા,. અજાણ્યા શખ્સોએ કરેલ હુમલામાં ઇજાગ્રસ્ત સંજયભાઇને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલ ખસેડવામાં આવેલ. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની રાધાબેન પરમારે સિહોર પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી તપાસ અને પૂછપરછ કરવા સાથે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે બનાવનાં પગલે ઘાંઘળી ગામે ચકચાર મચી જવા પામી છે.

Previous articleભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત
Next articleકલંક ફિલ્મ ફ્લોપ થઇ હોવા છતાં આલિયાની બોલબાલા