ભાવનગરમાં હત્યાની હેટ્રીક

2092

શહેરના સુભાષનગર વિસ્તારમાં પંચવટી ચોક ખાતે આજે બપોરના સુમારે વિપ્ર યુવાન પાડોશમાં જ રહેતા સગીરે સરા જાહેર છરીનો ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરમાં સતત ત્રીજા દિવસે ત્રીજી હત્યા થઇ હોય. હાહાકાર મચી જવા પામ્યો છે.

બે દિવસ પૂર્વે રાત્રીનાં સમયે સિહોરનાં ઘાંઘળી ગામે ચાર અજાણ્યા શખ્સો એ ઘરમાં ઘૂસીને પત્નિને દોરડેથી બાંધી પતિની હત્યા કરી બે કિલો ચાંદીની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. જ્યોર ગઇકાલે સિદસર ૨૫ વારીયામાં સસરાની લડાઇમાં વચ્ચે પડતા યુવાનની છરીનાં ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. જ્યારે આજે સતત ત્રીજા દિવસે શહેરના સુભાષનગર પંચવટી ચોકમાં કથા ચાલી રહી છે. ત્યારે ત્યાં રહેતા બ્રાહ્મણ યુવાન જીજ્ઞેશ સુરેશભાઇ ભટ્ટે પાડોશમાં રહેતા સગીરને કથા ચાલે છે. ત્યાં સુધી પોતાનું વાહન બહાર રાખવાનું કહેતા ઝઘડો થયો હતો બાદમાં બપોરે જમણવાર દરમ્યાન સગીરે આવીને ફરીથી ઝઘડો કરીને તેની પાસે લાવેલી છરીનો જોરદાર ઘા જીજ્ઞેશનાં પડખામાં મારી ગંભીર ઇજા કરી નાસી છુટ્યો હતો. લોહીયાળ હાલતે જીજ્ઞેશને સારવાર માટે સર.ટી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

આ બનાવની જાણ થતા સીટી ડી.વાય.એસ.પી. મનિષ ઠાકર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સગીરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આમ ભાવનગરમાં હત્યાની હેટ્રીક થવા પામેલ છે.

Previous articleસાધ્વી રેપ કેસ : આસારામનો પુત્ર નારાયણ સાંઇ દોષિત
Next articleસુખી થવું છે?