ક્યારેક ગુસ્સો કરવાથી ખેલાડીઓનું બેસ્ટ બહાર આવી શકે છે : કાર્તિક

698

કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકને મેદાન પર તમે હંમેશા શાંત જોયો હશે. પરંતુ શુક્રવારે કાર્તિક કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પોતાની ટીમની આગેવાની કરી રહ્યો હતો, તો મેદાન પર તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો હતો.

જ્યારે મેચ બાદ તેને આ તેવરો વિશે પૂછવામાં આવ્યું તો, તેણે કહ્યું કે જો ક્યારેક-ક્યારેક ગુસ્સો કરવાથી ખેલાડીઓનું બેસ્ટ બહાર આવી શકે છે, તો મને ચિંતા નથી.

પંજાબ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં કેકેઆરને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ગમે તે ભોગે વિજયની જરૂર હતી. પ્રથમ ઈનિંગમાં બ્રેક દરમિયાન કાર્તિક પોતાના બોલરો અને ફીલ્ડરોને ખિજાતો જોવા મળ્યો. કારણ કે ટીમના ખેલાડીઓ ટીમની નક્કી રણનીતિ પર યોગ્ય ન ઠર્યા હતા. કાર્તિકને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું કે, શું કામ તે આટલો ગુસ્સામાં હતો, તો તેણે કહ્યું કે, તે પોતાના બોલરો અને ફીલ્ડરોથી નાખુશ હતો. કાર્તિકે કહ્યું, છેલ્લા કેટલાક દિવસો અમારા માટે પડકારજનક કર્યાં છે.

અમારા બોલર અને ફીલ્ડરો મેદાન પર જે ભૂલ કરી રહ્યાં હતા હું ખુશ નહતો, તો મેં વિચાર્યું કે મારે મારા ખેલાડીઓને જણાવી દેવું જોઈએ કે હું શું અનુભવી રહ્યો છું. આવું બહુ ઓછું થતું હોય છે.

Previous articleવર્લ્ડકપમાં ટોચના બેટ્‌સમેન માનસિક દબાણ વિના રમશેઃ ધવન
Next articleચેન્નાઇ- પંજાબ રોચક જંગનો તખ્તો તૈયાર