અનુસુચિત જાતિનાં લોકો પરનાં અત્યાચાર મામલે રાણપુર ખાતે આવેદન પત્ર પાઠવાયું

570

રાજસ્થાનના થાનાગાઝીમાં અનુસુચિત જાતિની દીકરી ઉપર થયેલ બળાત્કાર,ગુજરાતના બાવળામાં અનુસુચિત જાતિની દીકરીની જાહેરમાં થયેલ કરપીણ હત્યા,કડી તાલુકાના લહોણ ગામમાં વરઘોડો નહી કાઢવા દેવા બાબતે,પ્રાંતિજના સિતવાળા ગામમા વરઘોડો કાઢવા બાબતનો વિરોધ તથા મોડાસાના ખંભીસર ગામમા પોલીસની હાજરીમાં થયેલ અનુસુચિત જાતિના લોકોના વરઘોડામાં થયેલ પથ્થરમારો વગેરે બાબતોના વિરોધમાં બોટાદ જીલ્લાના રાણપુર તથા રાણપુર તાલુકાના ગઢીયા, હડમતાળા, કેરીયા, નાગનેશ,જાળીલા સહીત સમગ્ર રાણપુર તાલુકાના અનુસુચિત જાતિ દ્વારા રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં રાણપુર અનુસુચિત જાતિના આગેવાનો પ્રકાશચંદ્ર કેશવલાલ મકવાણા, હરેશભાઈ વાઘ, મુકેશભાઈ વાઘ, વિપુલભાઈ મકવાણા સહીત મોટી સંખ્યામાં અનુસુચિત જાતિના લોકો હાજર રહ્યા હતા

Previous articleગાજવીજ-પવન સાથે રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા
Next articleજાફરાબાદમાં પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું.