દલિત અધિકાર મંચે આવેદન આપ્યું

721

બાવળા ગામે દલિત સમાજની દિકરીની સરાજાહેર – છરીઓનાં આડેધડ ઘા ઝીંકી ક્રુર હત્યા કરાયેલ. આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચલાવી આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગણી સાથે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાતં લોર ગામે દલિતોનાં વરઘોડાના બહિષ્કારનો ઠરાવ કરનાર ગ્રામ પંચાયતનાં સભ્યો સામે કડક પગલાં ભરવા સહિતની માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિવાભાઇ સૈોલંકી, અશોક ગીલાતર, માવજી સરવૈયા, વિક્રમભાઇ બોરીચા, હર્ષદભાઇ બાંભણીયા સહિત જોડાયા હતા. તસ્વીર : મનિષ ડાભી

Previous articleરાજપરા નજીક અકસ્માત : એક નુ મોત એક ગંભીર
Next articleસહજાનંદ કોલેજનો વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો