શનિ જયંતિ નિમિત્તે મંદિરોમાં ભીડ

634

આજે સોમવતી અમાસની સાથો સાથ શનિદેવની જન્મ જયંતિ હોય શહેરના શનિદેવનાં મંદિરોમાં ભાવિકોની ભીડ રહેવા પામી હતી. શહેરનાં મેઘાણી સર્કલ ખાતેનાં સાંઇબાબા મંદિરે આવેલ શનિ મંદિરે સવારથી જ ભાવિક ભાઇઓ-બહેનો પહોંચી ગયા હતા અને શનિદેવને તેલ, તલ અને કાળુ કપડું ચડાવી દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોનાં શનિદેવનાં મંદિરે પણ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

Previous articleરાજાઇ સેવા સમાજ દ્વારા ચોપડા વિતરણ
Next articleભાવ.ગ્રામીણ બહેનોની જીએસટી તાલીમ પૂર્ણ : પ્રમાણપત્રનું વિતરણ