કોળિયાકમાં નાંણાકિય સાક્ષરતા શિબિર

663

કોળિયાકમાં મલેકવદર ગામે તાજેતરમાં એસબીઆઇ દ્વારા કોળિયાક શાખાનાં સહયોગથી નાણાંકિય સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ રસ પૂર્વક ભાગ લીધો હતો. આ વખતે ખેડૂતો માટે નાણાંકીય સાક્ષરતાનું આયોજન કરાયેલ. જેમાં રિઝર્વ બેંકનાં પ્રતિનિધિ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતો માટેની શિબિરનો હેતુ અને ખેતી વિષયક ધિરાણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોળિયાક શાખાનાં અધિકારી જીજ્ઞાબેન ભાલીયાએ કર્યું હતું.

Previous articleતળાજાના બોરડા-દાઠા નવા રોડનું ચેરમેન ગૌત્તમભાઈ દ્વારા ખાતમુર્હુત
Next articleવિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સિહોર ખાતે વૃક્ષારોપણ કરાયું