વાવાઝોડાથી સ્થળાંતર થયેલ લોકોને મહુવામાં ઝમઝમ ગૃપે ભોજન કરાવ્યું

580

ગુજરાતમાં આવી રહેલા વાયુ ચક્રવાતી તોફાનના કારણે મહુવાના કાંઠા વિસ્તાર જેવા કે કતપર લાઇટ હાઉસમાં રહેતા લોકોને મહુવાના નવા ઝાંપા વિસ્તારની શાળામાં ઉતારો આપેલ હતો. જેમાં નવાઝાંપા વિસ્તારના મૌલાના જહીર અબ્બાસ અને તેમના ઝમઝમ ગૃપ તરફથી રાત્રી ભોજન અને નાસ્તા તથા પાણી તેમજ સવારના નાસ્તાની સુંદર વ્યવસ્થા કોઇપણ જાતના ધર્મના વાડા ભૂલી માનવધર્મના નાતે ગોઠવેલ હતી. આ કાર્યમાં ઝમઝમ ગૃપના તમામ સાથીદારો સહભાગી થયેલ.

Previous articleલોકોને સાવચેત રહેવા સમજાવાયા
Next articleપ્રભારી સચિવ પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ