પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય ભાવ. જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે આજે પશ્ચિમ વિધાનસભાના ત્રણ વોર્ડની વિવિધ સોસાયટીઓના ખાતમુહુર્તના કાર્યક્રમો યોજાયા હતા. જીતુભાઈએ ઉપસ્થિત જનતા પૈકી નાની નાની બાલિકા અને કુવારીકાઓના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાવી એક નવો જ રાહ ચીંધ્યો હતો.
ચિત્રા ફુલસર વોર્ડમાં જી.આઇ.ડી.સી. ખાતે, ફુલાસર ખાતે અમર પાર્ક સોસાયટી ખાતે અને કુંભારવાડા વોર્ડમાં રામદેવનગર, મફતનગર ખાતે આજે કરોડો રૂપિયાના કામોના ખાત મુહૂર્ત યોજાયા હતા.
આ પ્રસંગે જીતુભાઈ વાઘણીએ એક નવતર પ્રયોગ તરીકે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે જેમ આપણા દીકરાના જન્મદિવસ પ્રસંગને આપણે કૈક યાદગાર દિવસ તરીકે અનોખી રીતે ઉજવીયે છીએ તેમ આજે સોસાયટીના ખાતમુહૂર્ત પ્રસંગે દરેક લોકો સંકલ્પ કરે કે હું આજે આ ખાતમુહૂર્તને યાદગાર બનાવવા એક એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી અને લોકોને આ વૃક્ષનું જતન કરી ઉછેરવા અને વિકાસની સાથે સાથે પર્યાવરણનું જતન કરવા પણ અનુરોધ કર્યો હતો.
આજના ખાત મુહૂર્ત પ્રસંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી મહેશભાઈ રાવલ, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બામભણીયા, મેયર મનહરભાઈ મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા, સ્ટે.ચેરમેનયુવરાજસિંહ ગોહિલ, નેતા પરેશભાઈ પંડ્યા, શહેર ઉપાધ્યક્ષ મનાલાલ સોલંકી, માજી મેયર બાબુભાઇ સોલંકી સહિત વિવિધ વોર્ડના નગરસેવકો, વોર્ડ સંગઠનના પદાધિકારીઓ, સોસાયટીના આગેવાનો, સ્થાનિક આગેવાનો અને સોસાયટીના સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.