અમરનાથ યાત્રાએ જતા ભાવિકોનું સન્માન કરાયું

526

દક્ષિણ સરદારનગર વોર્ડના ઉપપ્રમુખ, પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાન એવા અમિતભાઇ ત્રિવેદી (સતત ૯ મી વાર)  અને વોર્ડના પૂર્વ મંત્રી અનિરુદ્ધસિંહ ગોહિલ સતત ૯મી વાર ના નેતૃત્વમાં ગત રાત્રીએ ૧૦ થી વધુ યુવાનો અમરનાથ યાત્રાએ રવાના થયા ત્યારે આ યુવા મીત્રોને ભવાની માતા મંદિર, ભરતનગર ખાતે યોજાયેલા સમારંભમાં શુભેચ્છા પાઠવતા શહેર ભા.જ.પા.ના પ્રવક્તા આશુતોષ વ્યાસ અને વોર્ડના નગરસેવીકા અને મહીલા મોરચના અધ્યક્ષ દિવ્યાબેન વ્યાસે શુભકામના પાઠકવી હતી આ સમયે મંદિરના સેવકો કનાડા દાદા, નરેન્દ્રકાકા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તેજસભાઈ જોશી, મહામંત્રી ભાવિનભાઈ ત્રિવેદી, અમિતભાઇ ભટ્ટ, બીપીનભાઈ શાસ્ત્રી, ગીરીશભાઈ, તાપસભાઈ, દીપકભાઈ રાવલ, કલ્પેશભાઈ વ્યાસ, ભા.જ.પા. આગેવાન અરુણભાઈ વ્યાસ, રાજભા ઝાલા વગેરે મિત્રો હાજર રહ્યા હતા.

Previous articleબોટાદ જીલ્લામાં ૧.૩૨ લાખ જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ
Next articleગઢડામાં જગન્નાથજીની ર૬મી રથયાત્રા માટે અનેરો થનગનાટ