સુભાષનગરમાં તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી યુવાનની હત્યાથી ચકચાર

786

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં યુવાનની હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ આજે અષાઢી બીજનાં દિવસે સાંજના સમયે શહેરનાં સુભાષનગર વિસ્તારમાં વર્ષા સોસાયટી પાસે શેરીનં.૩માં રહેતા અમિત ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦) ઉપર આજ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતાં તેને લોહિયાળ હાલતે હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો. બનાવની જાણ થતાં બી ડીવીઝન પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી.

શહેરમાં રથયાત્રા હોય પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે ખૂનનો બનાવ બનતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Previous articleદામનગર શહેર સમસ્ત માલધારી સમાજ આયોજિત બીજોત્સવની ભવ્ય ઉજવણી
Next articleભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન